Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

UAEમાં કામ કરી રહેલા લાખો ભારતીયો માટે ખુશ ખબર : મળશે પરિવાર સાથે નાગરિકતા

દુબઇ તા. ૧ : સંયુક્‍ત આરબ અમીરાત યુએઈમાં કાર્યરત લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. યુએઈએ શનિવારે જાહેરાત કરી હતી કે તે વ્‍યાવસાયિક વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ -૧૯ રોગચાળા વચ્‍ચે અર્થવ્‍યવસ્‍થાને પુર્નઃજીવિત કરવા માટે આ પગલું લેવામાં આવ્‍યું છે. ખાસ વાત એ છે કે નાગરિકત્‍વ માત્ર અહીં કામ કરનારાઓને જ નહીં, પરંતુ તેમના મળશે પરિવારોને પણ નાગરીકતા  આપવામાં આવશે.

દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્‍મદ બિન અલ મક્‍તોમે જાહેરાત કરી કે કલાકારો, લેખકો, ડોકટરો, ઇજનેરો અને વૈજ્ઞાનિકો તેમજ તેમના પરિવારો નાગરિકત્‍વ માટે અરજી કરી શકે છે. યુએઈ નાગરિક બન્‍યા પછી પણ તેઓ પોતાની જૂની નાગરિકતા જાળવી શકે છે.

જો કે, હજી સ્‍પષ્ટ નથી થયું કે નાગરિકત્‍વ મેળવનારા વિદેશી નાગરિકોને પણ અહીંના મૂળ નાગરિકો જેટલા જ અધિકાર આપવામાં આવશે કે કેમ. હજી સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી અથવા કામ દરમિયાન ફક્‍ત વિઝા મળે છે, જે નવીકરણ મેળવે છે. જો કે, તાજેતરના વર્ષોમાં, વિઝા નિયમો હળવા કરવામાં આવ્‍યા છે જેના કારણે વિશેષ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને વ્‍યાવસાયિકો વધુ સમય દેશમાં રહી શકે છે.

(4:25 pm IST)