Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વરરાજાની આ નાની એવી ભૂલના કારણોસર એક ફોટોગ્રાફરે લગ્નના બધા ફોટા ડીલીટ કરી નાખ્યા

નવી દિલ્હી: લગ્નમાં તસવીરો લેવા માટે ગયેલા એક ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરેલી બધી તસવીરો વરરાજાની સાથે જ ડિલીટ કરી દીધી. વાત એ છે કે ફોટોગ્રાફર ખૂબ જ ભૂખ્યો હતો અને લગ્નમાં તેને ભોજન કરવાથી રોકવામાં આવ્યો હતો. હવે ફોટોગ્રાફરે આખો મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લોકો પાસેથી તેમના મંતવ્યો માગ્યા છે. ફોટોગ્રાફરે લખ્યું, હું વ્યવસાયે ફોટોગ્રાફર નથી. હું શ્વાનોને ચાલવા લઇ જાઉ છું અને તેમની તસવીરો લઉં છું. જેથી તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર અપલોડ કરી શકું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ફોટોગ્રાફરે લખ્યું, આ મારો શોખ છે. એક મિત્રએ પૈસા બચાવવા માટે મને તેના લગ્નમાં ફોટોગ્રાફી કરવા કહ્યું. જેના પર મેં તેને ના પાડી દીધી અને કહ્યું વેડિંગ ફોટોગ્રાફી તેનું કામ નથી. મિત્રએ જિદ્દ કરતા કહ્યું કે જો તસવીરો પરફેક્ટ ન પણ હોય તો પણ પરવાહ નથી. જેના પર ફોટોગ્રાફર 250 ડૉલરમાં તેના લગ્નની તસવીરો લેવા રાજી થઇ ગયો. લગ્નનું ફોટોશૂટ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થયું અને રાતે લગભગ 7.30 વાગ્યા સુધી ચાલ્યું. સાંજે લગભગ 5 વાગ્યે જ્યારે ભોજન પીરસાયું તો ફોટોગ્રાફર માટે કોઇપણ ટેબલ પર જગ્યા રાખવામાં આવી નહીં. તેને ભોજન કરવાથી રોકવામાં આવ્યો અને સતત ફોટો લેવા માટે કહેવામાં આવ્યું. ફોટોગ્રાફરે લખ્યું, હું થાકી ગયો હતો અને આ કામને પસંદ કરીને અફસોસ કરી રહ્યો હતો.

(5:33 pm IST)