Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

શ્રીલંકાની નૌસેનાએ 86 ભારતીય માછીમારોની કરી ધરપકડ

નવી દિલ્હી: શ્રીલંકાની નૌસેનાએ પોતાની જળસીમામાં ગેરકાનૂની રૂપથી ઘુસવાનો પ્રયાસ કરી રહેલ માછલી પકડનાર 11 નાવડીમાં સવાર 86 ભારતીય માછીમારોની મંગળવારના રોજ ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. નૌસેનાએ સોમવારના રોજ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસ મહામારીના પ્રસારને જોઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેમને ભારત સહીત અન્ય દેશોથી ગેરકાનૂની રીતે પ્રવેશ કરનાર પ્રવાસીઓને રોકવા માટે ઉતરી અને પશ્ચિમી સમુદ્રી સીમા પર સુરક્ષા વધારી દીધી છે. સેનાએ છેલ્લા 15 દિવસમાં ભારતીય નાવડીમાં સવાર 21 ભારતીય નાગરિકોને કહેવાતી રીતે દેશમાં ઘુસવાનો પ્રયાસ કરવાના આરોપસર ધરપકડ કરી લીધા હતા.

(6:24 pm IST)