Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નાઇજીરિયામાં એક હુમલામાં જેલમાંથી 1844 કેદીઓ ફરાર

નવી દિલ્હી:નાઈજિરિયાઈ સુધાર સેવા (એનસીએસ)આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓવેરી શહેરમાં એક જગ્યા પર શસસ્ત્ર હુમલો થયા પછી 1844 કેદીઓ ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અજાણ્યા બંદૂકધારીઓએ સોમવારના રોજ બપોરના લગભગ 2 વાગ્યાને 15 મિનિટની આસપાસ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા અંગે વધુ તપાસ ચાલી રહી છે હજુ સુધી કોઈ પણ સંગઠન દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.

(5:03 pm IST)