Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

તુર્કીમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે રસ્તા પર મુકાવી પાળેલા શ્વાનની સોનાની પ્રતિમા

નવી દિલ્હી: લોકલાડીલા નેતાઓની આરસની પ્રતિમા કે ચૂંટણી પ્રતીકોનાં આરસના પૂતળા( માયાવતી ફેમ)ની નવાઇ ક્યાંય રહી નથી. પરંતુ તૂર્કમેનિસ્તાનમાં ત્યાંના રાષ્ટ્રપ્રમુખે પોતાના પાળેલા કૂતરાની પચાસ ફૂટ ઊંચી અને 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવેલી પ્રતિમા શહેરની સડક પર મૂકાવી હોવાના અહેવાલ બીબીસીએ પ્રગટ કર્યા હતા.

            તૂર્કમેનિસ્તાનમાં હાલ ગુરબાંગુલી બેર્દોયમુખમેદોવ પોતાના પાળેલા કૂતરાને ખૂબ જ પ્રેમ કરે છે. મોટાભાગના લોકો પોતાના પાળેલા શ્વાનને સંતાનની જેમ પ્રેમ કરતાં હોય છે એટલે આ વાતમાં કશું નવું નથી. નવું એ છે કે ગુરબાંગુલીએ પોતાના પાળેલા કૂતરાની પચાસ ફૂટ ઊંચી એક પ્રતિમા બનાવડાવીને એના પર 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવીને એ મૂર્તિ દેશની રાજધાની અશ્ગાબાતની સડકો પર મૂકી હતી.

(7:17 pm IST)