Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પાકિસ્‍તાનનું ISI અમેરિકાને દુશ્‍મન માને છે : રાજા કૃષ્‍ણમૂર્તિ

ભારતીય મુળના અમેરિકી સાંસદે નિશાન સાધ્‍યુ

વોશીંગ્‍ટન, તા. ર૧ :  ભારતીય મુળના અમેરિકી સાંસદ રાજાકૃષ્‍ણમૂર્તિએ પાકિસ્‍તાનની આતંકી ગતિવિધીઓ ઉપર નિશાન સાધતા જણાવેલ કે, દક્ષીણ એશીયાઇ દેશોમાં કટ્ટરપંથીઓ વિરૂધ્‍ધ તેમના વિચારો ચોખ્‍ખા છે કેમકે પાકિસ્‍તાનની જાસુસી સંસ્‍થા આઇએસઆઇ અમેરિકાને દુશ્‍મન માને છે.  બોસ્‍ટનમાં અમેરિકી ભારત સુરક્ષા પરિષદ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજાએ વધુમાં જણાવેલ કે અમે બધા ધર્મોનું સન્‍માન કરીએ છીએ અને કોઇ દિવસ કોઇપણ રંગ, જાતિ કે ધર્મ સાથે ભેદભાવ નથી કરતા તેમણે ભારતીય અમેરિકી સમુદાયને બન્ને દેશો વચ્‍ચે રણનીતિક સંબંધોનું સમર્થન ચાલુ રાખવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું., જેથી અમેરિકાની આ મિત્રતાને પ્રશાંત ક્ષેત્રમાં ચીનની મહત્‍વકાંક્ષાઓથી રોકી શકે.

(3:33 pm IST)