Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

યુક્રેનમાં શ્રીલંકનો પર રશિયન સૈનિકો કરી રહ્યા છે આ રીતનો અત્યાચાર

નવી દિલ્હી: ઈજિયમ શહેર પર યુક્રેનના બીજીવાર કબ્જા બાદ રશિયન સેનાના અત્યાચારોના આરોપ સામે આવી રહ્યા છે. આ શહેરમાં રહેતા શ્રીલંકાઈ લોકોના એક જૂથે રશિયન સેના પર અત્યાચારના આરોપ લગાવ્યા છે. રશિયન સૈનિકોના અત્યાચારની કહાની વ્યક્ત કરતા આ શ્રીલંકાઈ નાગરિકોને અહીં અમુક મહિલાથી કેદ રાખવામાં આવ્યા હતા. આ કેદીઓમાંથી એક દિલુજાન પતથિનાજકનએ કહ્યુ, એવુ લાગી રહ્યુ હતુ કે અમે અહીંથી જીવતા નીકળી શકીશુ નહીં. દિલુજાન તે સાત શ્રીલંકાઈ લોકોમાંથી એક છે જેને રશિયન સૈનિકોએ મે માં પકડી લીધો હતો. રશિયન હુમલામાં પોતાનો જીવ જોખમમાં જોતા આ જૂથ કુપિયાંસ્કમાં પોતાના ઘર કરતા વધારે સુરક્ષિત ખારકીવ તરફથી નીકળ્યા હતા. કુપિયાંસ્કથી ખારકીવ 120 કિલોમીટર દૂર છે. પરંતુ પહેલી જ ચેક પોસ્ટ પર શ્રીલંકાઈ લોકોનુ ગ્રૂપ રશિયન સૈનિકોના હાથે પકડાઈ ગયુ. આ સૈનિકોએ તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી. તેમના હાથ પાછળ બાંધી દીધા અને તેમને રશિયન સરહદ નજીક વોવચાંસ્કમાં એક મશીન ટૂલ ફેક્ટરીમાં લઈ જવાયા. આ ચાર મહિનાના તેમના દુસ્વપ્નની શરૂઆત હતી. તેમને અહીં કેદ રાખવામાં આવ્યા. તેમની પાસેથી જબરદસ્તી કામ કરાવવામાં આવતુ હતુ અને અત્યાચાર પણ કરવામાં આવતો હતો. 

(5:14 pm IST)