Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નાવડી ડૂબી જવાના કારણોસર ચાર લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં એક જળાશયમાં ત્રણ નાવડી ડૂબી જવાના કારનસોર બુધવારના રોજ ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 17 લોકો હજુ સુધી લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિલ્લાના રાધગનમાં પૂરના કારણોસર 18 લોકો સાથે એક નાવડી ડૂબી ગઈ હતી બચાવદળના એક અન્ય સમૂહે બચાવ અભિયાન શરૂ કરીને ચાર લોકોના જીવ બચાવી લીધા છે અને જળાશયથી ચાર મૃતદેહ પણ બહાર કાઢ્યા તેમજ અન્ય ચાર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(7:01 pm IST)