Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 157 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 157 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે ચેપના 5908 નવા કેસ નોંધાયા છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસના ચેપથી મૃત્યુના એક દિવસનો આંકડો ગતવર્ષમાં સૌથી વધુ છે.

રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે કહ્યું કે, 157 માંથી 53 દર્દીઓ વેન્ટિલેટરમાં હતાં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, 'પાકિસ્તાનમાં કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 157 લોકોના મૃત્યુ થયા છે. ગત વર્ષે 20 જૂન પછીનો સૌથી વધુ મોટો આંક છે. જ્યારે એક દિવસમાં કોરોનાના કારણે 153 લોકોનાં મોત નીપજ્યાં હોય."

(6:00 pm IST)