Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ગોળીબારી કરી 51 લોકોને મોતનેઘાટ ઉતારનાર નરાધમને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદ બહાર કરવામાં આવેલા ગોળીબારનાં આરોપી બ્રેંટન ટૈરંટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.સ સાથે તેને કેદ દરમિયાન પેરોલ પણ નહીં આપવામાં આવે.

           કોર્ટની સુનવણી દરમિયાન ઓસ્ટ્રેલિયન નાગરીક બ્રેંટન ટૈરંટ સ્થિર બેસીને પોતાની વિરૂધ્ધ ગવાહી આપી રહેલા લોકોને સાંભળી રહયો હતો.સ આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 91 લોકો સાક્ષી હતા અને તેમણે પોતાના આપ્તજનોને ગુમાવવા અંગે ગવાહી આપી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે આ શખ્સને કારણે તેમણે તેમના આપ્તજનોને ગુમાવવા પડયા હતા.

(6:28 pm IST)