પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી 3 બોટ જપ્ત કરી
નવી દિલ્હી: એલઓસી પર અવાર નવાર યુદ્ધ વિરામ ભંગ કરનારા પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી લીધી હતી, પાકિસ્તાન તેમની 3 હોડીઓને પણ જપ્ત કરી લઇ ગયું હતું. પાકિસ્તાન મુજબ 17 ભારતીય માછીમારો તેની દરિયાઇ સહરદમાં પ્રવેશી ગયા હતા અને ચેતવણી આપવા છતાં પાછા ફર્યા ન હતા, જે પછી તમામની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા એક પાકિસ્તાની અધિકારીનું કહેવુ હતું કે ભારતીય માછીમારોને પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારને છોડી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ ચેતવણીને તેમણે માની નહીં જે પછી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના જણાવ્યા મુજબ ભારતીય માછીમારો પાકિસ્તાનની દરિયાઇ સરહદ પાર કરી આશરે 10-15 દરિયાઇ મીલ અંદર ચાલ્યા ગયા હતા.