દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

ઓએમજી.... એચઆઇવીની સારવાર લીધા વિના જ સાઝા થઇ ગયા બે દર્દીઓ:લોકો મુકાયા અચંબામાં

નવી દિલ્હી: દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે જે આપણને માનવા છતાં ચમત્કાર જેવી બાબતોમાં માનવા મજબૂર કરે છે. દુનિયાના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યુ છે કે કોઈ HIV ના દર્દી વગર ઈલાજે સારા થયા હોય. તેઓની રોગપ્રતિકારક શક્તિ એટલી વધારે હતી કે તેણે જીવલેણ બિમારીને હરાવી નાખી. જોકે વ્યક્તિઓ ક્યાની છે અને કોણ છે તેની પુષ્ટિ સૂત્રો દ્વારા કરવામાં આવી નથી.

           ઘટનાથી દુનિયાભરનાં વૈજ્ઞાનિકો અચંબામાં મૂકાઈ ગયા છે. કારણ કે HIV એક એવો રોગ છે જેનો ઈલાજ હજુ શોધાયો નથી. પહેલા વૈજ્ઞાનિકો દ્વારા ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાં બે વાર લોકોના શરીરમાં બોનમેરો ટ્રાંસપ્લાન્ટ કરવાનાં પરિક્ષણો કરવામાં આવ્યા હતા. જે સફળ પર નિવડ્યા હતા. પરંતુ કોઈપણ જાતના ઈલાજ વગર દર્દીમાંથી HIV નાબૂદ થયો હોય એવી પ્રથમ ઘટના છે.

(6:43 pm IST)