દેશ-વિદેશ
News of Monday, 8th February 2021

કોરોના વાયરસના કારણોસર કેનેડામાં બેરોજગારીનો દર વધીને 9.4ટકા થયો હોવાની માહિતી

નવી દિલ્હી: કેનેડામાં કોરોના વાયરસ મહામારીના બીજી લહેરમાં ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે, મળેલી માહિતી અનુસાર મહામારીના બીજી લહેરને કારણે બેકારીનો દર જાન્યુઆરીમાં 0.6 ટકાથી વધીને 9.4 ટકા થઇ ગયો છે. ઓગસ્ટ 2020 પછીનો બેરોજગારીનો સૌથી મોટો આંકડો છે. આંકડો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.


           શુક્રવારે, કેનેડિયન સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે રોજગારમાં જાન્યુઆરીમાં 213,000 અથવા 1.2નો ટકા ઘટાડો આવ્યો છે. જેની પાછળનું કારણ છે લોકડાઉન અને પ્રતિબંધને કારણે દેશભરમાં ઘણા વ્યવસાયો બંધ થઈ ગયા છે. જાહેર છે કે કોરોના મહામારી વિશ્વમાં અનેક રીતે અસર કરી રહી છે. ત્યારે કેનેડા જેવી કન્ટ્રીમાંથી આવતા આંકડા ચિંતાજનક છે.

(5:20 pm IST)