દેશ-વિદેશ
News of Thursday, 10th September 2020

પાકિસ્તાનમાં ખાણ દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 26એ પહોંચ્યો

નવી દિલ્હી:પાકિસ્તાનની જિયારત પહાડીમાં સંગેમરમરની એક ખાણ ઢળી પડતા ઘાયલ થયેલ ચાર વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે તે સાથે આ  દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 26પહોંચી ગયો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રશાસને મૃત્યુ પામેલ લોકોના પરિવારના સભ્યોને નવ નવ લાખ રૂપિયાની ભરપાઈ આપવાની ઘોષણા કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.  તેમજ ઘાયલ લોકોના પરિવારને એક એક લાખ રૂપિયાની ભરપાઈ કરવામાં આવશે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:19 pm IST)