દેશ-વિદેશ
News of Friday, 17th September 2021

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અંતિમ યાત્રામાં ગોળીબારીમાં 8 લોકોના મોત:15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અંતિમ યાત્રામાં ગોળીબાર થયો હતો.જેમાં 8 લોકો માર્યા ગયા જયારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ખૈબરના લોઅર દીર જિલ્લામાં ગોળીબાર થયો હતો. સ્થાનિક લોકોમાં જણાવ્યા મુજબ, બે જુથ વચ્ચે જમીન વિવાદની બાબતે ગોળીબાર થયો હતો. જૂથો વચ્ચેનો વિવાદ વકરતા ગોળીબારમાં 8 લોકોના મોત થયા અને 15 ઇજાગ્રસ્ત થયા જેને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી 10 લોકોની સ્થિતિ ગંભીર છે.

(6:37 pm IST)