અમેરિકાના એટલાન્ટા શહેરના જ્યોર્જિયા એકવેરિયમમાં કેટલાક ઉદબિલાવને કોરોના ચેપ લાગ્યો હોવાની માહિતી
નવી દિલ્હી: કોરોના વાયરસ હવે મનુષ્યને છોડીને પ્રાણીઓમાં જઇ રહ્યો છે. એ પણ એવા પ્રાણીઓ જી રહ્યો છે કે જે એક્વેરિયમ સુધી જાય છે. આપને જણાવીએ કે, આ જીવો ભારતમાં પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ જીવોનું નામ ઉદબિલાવ છે. તે નોળિયોની એક પ્રજાતિ છે. તે જમીન અને પાણી બંને પર જીવી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરના જ્યોર્જિયા એક્વેરિયમમાં કેટલાક ઉદબિલાવને કોરોના ચેપ લાગ્યો છે.
જ્યોર્જિયા એક્વેરિયમે ટ્વિટ કર્યું હતું કે તેમાં 'કેટલાક ઉદબિલાવને કોરોનાને ચેપ લાગ્યો હતો.' તેમનુ નાક વહી રહ્યું છે. તેઓને છીંક આવી રહી છે તેઓ થોડો થાકેલા દેખાઈ રહ્યા છે અને થોડી ખાંસી પણ આવી રહી છે. પરંતુ આ બધા લક્ષણો હળવા છે. જે ઉદબિલાવને કોરોના ચેપ લાગ્યો છે તે એશિયન સ્મોલ ક્લાઉડ ઓટર્સ છે, એટલે કે નાના પંજાવાળી એશિયન ઉદબિલાવ છે.