આગામી મહામારી પર નહીં અસર કરે એન્ટિબાયોટિક દવાઓ:એક સ્ટડીમાં કરવામાં આવ્યો ખુલાસો
નવી દિલ્હી: એન્ટીબાયોટિક દવા આધુનિક ચિકિત્સા પદ્ધતિઓની સૌથી મોટી શોધ છે. તે દર વર્ષે લાખો કરોડો લોકોનો જીવ બચાવે છે, પરંતુ આગામી મહામારી એવી હશે, જેના પર એન્ટીબાયોટિક દવાઓ, એન્ટિમાઇક્રોબિયલ, એન્ટિબેક્ટિરીયલ દવાઓની અસર નહીં થાય. એક નવી સ્ટડીમાં આ જાણકારી આપવામાં આવી છે એટલે કે માનવ જાતિ એક એવા ટાઇમ બોમ્બ સાથે જીવી રહી છે, જે ક્યારેય પણ ફાટી શકે છે અને તેને લઈને માનવી કશું જ નથી કરી રહ્યા. જે કંઈક થઈ પણ રહ્યું છે તે પૂરતું નથી.
આ એક રીતેનો એન્ટિમાઇક્રોબિયલ પદાર્થ હોય છે જે બેક્ટેરિયા વિરુદ્ધ સંઘર્ષ કરે છે. તે કોઈ પણ પ્રકારના બેક્ટિરિયલ સંક્રમણ રોકવા માટે અસરકારક હોય છે. એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ શરીરમાં સૂક્ષ્મ જીવો વડે ફેલાવનારા સંક્રમણને રોકવા માટે કરવામાં આવે છે જેથી તે શરીરમાં ન થાય અને અંતમાં ખતમ થઈ જાય. એન્ટીબાયોટિક્સ તાકત અને સરળથી મળવાના કારણે તેને આખી દુનિયામાં માનવામાં આવે છે, પરંતુ તેને વધારે ઉપયોગમાં લાવવામાં આવી રહી છે. જોકે કેટલાક ખતરનાક બેક્ટેરિયા છે જે એન્ટિબાયોટિક દવાઓને બેઅસર કરી દે છે.