News of Thursday, 25th November 2021
અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 100આઈએસ આતંકીઓએ કર્યું આત્મસમર્પણ
નવી દિલ્હી:ચીની મીડિયાએ સ્થાનિક અધિકારીઓને માહિતી આપતા જણાવ્યું છે કે મંગળવારના રોજ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં લગભગ 100 ઇસ્લામીક સ્ટેટ સાથે જોડાયેલ આતંકવાદીઓ દ્વારા આત્મસમર્પણ કર્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આઇએસના લગભગ 100 આતંકવાદીઓએ મંગળવારના રોજ સવારના સમયે પ્રાંતીય રાજધાની જલાલાબાદ શહેરમાં નંગરહાર જનરલ ડાયરેકટરેટ ઓફ ઇંટેલીજેંસના અધિકારીઓની સામે આત્મસમર્પણ કરવામાં આવી રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:08 pm IST)