દેશ-વિદેશ
News of Tuesday, 27th July 2021

તાલિબાન સાથેની લડાઈમાં 40 અફઘાન સૈનિકોને પાકિસ્તાન જવાની નોબત આવી

નવી દિલ્હી: તાલિબાન સાથેની લડાઇ દરમિયાન 46 અફઘાન સૈનિકોને પાકિસ્તાનમાં આશરો લેવો પડ્યો હતો. સોમવારે, પાકિસ્તાની સેનાએ વિશે માહિતી આપી હતી. મુજબ સરહદ પર લડત દરમિયાન અફઘાન સૈન્યનું નિયંત્રણ ઘણી જગ્યાએ સમાપ્ત થઈ ગયું છે. પછી, અફઘાન સૈનિકોએ પોતાનો જીવ બચાવવા પાકિસ્તાન તરફ ભાગવું પડ્યું. નોંધપાત્ર વાત છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અફઘાન સૈન્યના સૈનિકો અને નાગરિકો તાજિકિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન ભાગી ગયા છે. સરહદ પર પરિસ્થિતિ વણસી જતા સ્થિતિ ઉભી થઈ છે.

પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે, સૈનિકોને અફઘાન અધિકારીઓ પાસેથી મંજૂરી મળ્યા બાદ સલામત માર્ગ આપવામાં આવ્યો હતો. મુજબ, અફઘાન સૈનિકોને આશ્રય આપવાની સાથે સૈન્યના નિયમો અનુસાર ખોરાક અને જરૂરી તબીબી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છેપાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, શરણાગતિ લેનારા તમામ સૈનિકોને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પાછા તેમના દેશ મોકલવામાં આવશે. પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય નથી. નોંધપાત્ર વાત છે કે, પાકિસ્તાનમાં અફઘાન રાજદૂતની પુત્રીનું અપહરણ થયા બાદ તમામ અફઘાન રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવવામાં આવ્યા હતા.

(5:50 pm IST)