દેશ-વિદેશ
News of Monday, 31st August 2020

પાકિસ્તાન:આતંકી હુમલામાં 3 સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં સુરક્ષાબળો પર આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ચારને ગંભીર રીતે ઇજા પહોંચી  હોવાનું માલુમ પડી રહ્યું છે.

       વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ મધ્ય રાત્રીના સમયે  એક તલાશી અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું જે પછી સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે.

(6:44 pm IST)