Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પીએમ મોદી, વિદેશમંત્રી એસ, જયશંકર બાદ અમિતભાઇ શાહે પણ રસી લગાવી દીધી

મેદાંતા હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમને કોરોનાથી બચાવવા રસી આપી

નવી દિલ્હી :  દેશમાં કોવાક્સિન રસીકરણનો બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં પ્રથમ રસી વડા પ્રધાન  મોદીએ લીધી અને પહેલ કરી હતી. વડા પ્રધાન  મોદી બાદ હવે ગૃહ પ્રધાન અમિતબહી  શાહે પણ કોરોના વાયરસ રસી લગાવી દીધી છે. મેદાંતા હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમને કોરોનાથી બચાવવા રસી આપી છે.

શાહ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે અને પીએમ મોદીએ પણ કોરોના રસી લીધી છે. જયશંકરે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે તેમને ભારત બાયોટેક કોવેક્સિન લગાવી છે.

રસી મળ્યા બાદ પીએમ મોદીએ લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી છે.

પુડ્ડુચેરીથી વડા પ્રધાન મોદીએ આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીને કોવાક્સિન ડોઝ ઇન્જેકશન આપનાર નર્સ પી. નિવેદા છે.

દેશમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતુ. હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં શુક્રવાર સાંજ સુધી 1.37 કરોડ કોરોના રસીઓ લગાવવામાં આવી છે. 66.37 લાખ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 22 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 49.15 લાખ પહેલી હરોળના કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેઓ કે કુલ એક કરોડ આરોગ્ય કર્મચારીઓ, બે કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને 27 કરોડ વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર લોકોને રસી આપવામાં આવશે.

(12:58 am IST)