Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કૃષ્ણાશ્રય ' : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે પુષ્ટિમાર્ગીય પ્રવચનો તથા હિંડોળા મનોરથોનું આયોજન : 4 ઓગસ્ટ ગુરુવારથી 7 ઓગસ્ટ રવિવાર સુધી ' કૃષ્ણાશ્રય ' વિષે પૂજ્ય શ્રી કેવલાલાનંદ સ્વામીના પ્રવચનો : સાંજે 6 -00 વાગ્યાથી 7-30 વાગ્યા સુધી યોજાનારા પ્રવચનો બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપાથી ભકતિનીધિ ઇન્ક.સંચાલિત શ્રી દ્વારકાધીશ મંદિર ,717, વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સીમાં પુષ્ટિમાર્ગીય પ્રવચનો તથા હિંડોળા મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવોને સપરિવાર મિત્રમંડળ સહીત આ કાર્યક્રમનો લાભ લેવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.
મંદિરમાં 4 ઓગસ્ટ ગુરુવારથી 7 ઓગસ્ટ રવિવાર સુધી ' કૃષ્ણાશ્રય ' વિષે પૂજ્ય શ્રી કેવલાલાનંદ સ્વામીના પ્રવચનો યોજાશે .સાંજે 6 -00 વાગ્યાથી 7-30 વાગ્યા સુધી યોજાનારા પ્રવચનો બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
મનોરથી થવા તથા વધુ માહિતી માટે મંદિરના કાર્યાલય @ 732-254-0061 નો સંપર્ક કરવો.મંદિરની વેબસાઈટ www.dwarkadhishtemple.org છે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે

 

(8:21 pm IST)