Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમીન સાયાનીનું મૃત્યુ ... ભારત-ચીન વચ્ચે ગોળીબાર... અફવાઓનો ભારે દોર ચાલ્યો..

રેડિયોની દુનિયામાં આવાઝના જાદુગર ગણાતા અમીન સાયાનીના મૃત્યુની અફવા સોમવારે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. આ સાથે લોકોએ તેમને શ્રદ્ઘાંજલિ આપવાનું શરૂ કર્યું. જો કે સાયાનીના પુત્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ આપીને તેના પિતા સ્વસ્થ હોવા વિશે માહિતી આપી હતી, જે પછી અફવાઓ ઉપર પૂર્ણવિરામ લાગ્યું હતું.

એવી જ રીતે લડાખ સરહદ ઉપર ભારત-ચીન વચ્ચે ગોળીબાર શરૂ થયાની વાત પણ ખૂબ ચાલી છે, પરંતુ કોઈ જ સત્તાવાર સમર્થન અપાયું નથી અને માત્ર અફવા જ હોવાનું ફલિત થયું છે.

 

(10:02 am IST)