Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દેશમાં સંક્રમિતોનો આંક ૩૭ લાખની નજીક

૨૪ કલાકમાં ૬૯૯૨૧ કેસ અને ૮૧૯ના મોત : કુલ ૨૮ લાખથી વધુ લોકો સાજા થયા : ગઇકાલે ૧૦.૧૬ લાખ ટેસ્ટ

નવી દિલ્હી તા. ૧ : ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૩૭ લાખની નજીક પહોંચી ગયા છે. આજે ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૬૯૯૨૧ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૮૧૯ લોકોના મોત થયા છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મૃતકોની સંખ્યા વધીને ૬૫૨૮૮ની થઇ ગઇ છે.

દેશમાં સંક્રમણના આંકડા વધીને ૩૬,૯૧,૧૬૭ થયા છે. જેમાંથી ૭,૮૫,૯૯૬ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૮,૩૯,૮૮૩ લોકો ઉપચાર બાદ સાજા થયા છે.

કુલ ૪,૩૩,૨૪,૮૩૪ ટેસ્ટ કરાયા છે જે પૈકી ૧૦,૧૬,૯૨૦ ટેસ્ટ ગઇકાલે જ કરાયા હતા.

મહારાષ્ટ્રમાં ૨૪૫૮૩, તામિલનાડુમાં ૭૩૨૨, કર્ણાટકમાં ૫૭૦૨, દિલ્હી ૪૪૪૮, યુપી ૩૪૮૬, પ.બંગાળ ૩૨૨૮ લોકોના મોત થયા છે.

(11:19 am IST)