Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે : શ્રી વિજયભાઇ રૂપાણી

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શ્રધ્ધાંજલિ

ગાંધીનગર : મુખ્યમંત્રીઙ્ગશ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી, ભારતરત્ન શ્રી પ્રણવ મુખરજીના દુઃખદ અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવી છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યકિતત્વ ગણાવતા ઉમેર્યુ છે કે તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવી સદ્દગતના આત્માની પરમશાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે.

(11:23 am IST)