Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આપણે એક વિદ્વાન દેશભકત ગુમાવ્યાઃ મોહન ભાગવતજી

આરએસએસ સર સંઘ ચાલકની પ્રણવ મુખર્જીને ભાવાંજલી

રાજકોટ તા.૧ :  ભારતના ભુતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાનું શરીર છોડીને જતા રહયા છેઅ ને સંઘના બધા સ્વયં સેવકો કે જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓ માટે એક મોટી તંગીનો સામનો કરવાનો સમય છે. તેમ શ્રધ્ધાસુમન અર્પણ કરતા આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતે જણાવ્યું છે.

તેઓએ રાષ્ટ્રપતિ હતા ત્યારે હું બે વાર તેની સાથે મળ્યો, મને લાગ્યુ કે હું મારા ઘરના કોઇ વૃધ્ધ વ્યકિત સાથે વાત કરુ છુ અને હંમેશા, હંમેશા દરેક જગ્યાએ મે દરેક સાથે આ વર્તન જોયું.

અહીં (નાગપુર) તે સંઘનો વર્ગ જોવા આવ્યા અન્ય લોકો પણ ૧૦-૧ર અતિથિઓ હતા. તેનો તેનીસાથે ઓળખાણ કરવાનો કાર્યક્રમ હતો. બધા આવીને બેઠા, પ્રણવદા પણ આવી બેઠા કાર્યક્રમના કંડકટર ઉભા રહીને ઉપદેશની શરૂઆતકરવાના હતા. જેમાં પ્રણવ મુખર્જી ઉભા થયા  અને તેમણે કહયું, જુઓ અમે અહીં રજુઆત કરવાના છીએ, અનેહું મારી જાતે જ શરૂઆત કરુ છે તેમણે ઉભા થઇને દરેકની સાથે પોતાનો પરિચય આપ્યો. તે આટલી અનપેક્ષીત વસ્તુ હતી કે દરેક વ્યકિત અવાચક રહી ગઇ અને દરેક જણ તેમની સાદગી અને સામાજિકતા માટે દંગ રહીગયા હતા.

લાંબા આયુષ્યના અનુભવને લીધે તેઓને તે માહિતીને પચાવવાનો અને તેનો ઉપયોગ દિશામાં લેવા માટે પણ વિવેક ધરાવે છે. તેથી તે આપણા જેવા લોકો માટે માર્ગદર્શક વડીલ હતા. પણ તેમની વિદાયથી આપણે દેશ હિતમાં ચિંતિત એક વિદ્વાન ગુમાવ્યાનું જણાવી ગદગદ થઇને મોહન ભાગવતજીએ શ્રધ્ધા સુમન અર્પણ કરી કર્યા છે.

(2:46 pm IST)