Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મણિપુર : ૫.૧ની તીવ્રતાના ભૂકંપથી નાગરિકોમાં ફફડાટ

ઇમ્ફાલ, તા. મણિપુરમાં સોમવારે મોડી રાત્રે .૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. એક મહિનામાં મણિપુરમાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો હતો. પહેલાં ઑગસ્ટની ૧૧મીએ ભકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ સોમવારે મધરાત પછી બેને ૩૯ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણીપુરની પૂર્વે પંચાવન કિલોમીટર દૂર આવેલા ઉખરુલમાં હતું. જો કે કોઇ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના રિપોર્ટ મળ્યા નહોતા. એક તરફ ભારે વરસાદ અને ઊભરાતી નદીઓ વચ્ચે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટની લાગણી ફેલાવી દીધી હતી.

(10:16 pm IST)