Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એકલા જુલાઇમાંજ રર૦ લોકોના મોત

મહારાષ્ટ્રમાં ૪ મહિનામાં વરસાદથી ૪૩૬ લોકોએ જીવ ગુમાવ્યા

મુંબઇ તા. ૧ : મહારાષ્ટ્રમાં આ વર્ષે પડેલ ભારે વરસાદને કારણે થયેલ દુર્ઘટનાઓમાં ૧ જુનથી આજ સુધીમાં ૪૩૬ લોકોએ જીવ ગુમાવ્યો છે રાજય સરકારના રાહત અને પુનવર્સન ખાતાએ આ આંકડો જાહેર કરતા જણાવેલ કે તાજેતરમાં થયેલ આ સૌથી મોટી જાનહાની છે.કુલ મૃત્યુ આંકમાંથી એકલા જુલાઇમાં જ રર૦ લોકોના વરસાદના કારણે થયેલ તારાજીમાં મૃત્યુ થયા છે. આ વર્ષની વરસાદની સીઝનમાં બે વાવાઝોડા તાઉતે અને ગુલાબનો પણ સમાવેશ થાય છે. જેેણે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખેલ.

(12:03 pm IST)