Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રામમંદિરમાં ૯ મીથી પાયા ભરાશેઃ મે મહિનામાં મિર્ઝાપુરથી શિલાઓ આવશે

અયોધ્યાઃ રામજન્મભૂમિ પરિસરમાં ૯ કે ૧૦ એપ્રિલથી પાયા ભરવાનું કામ શરૂ થઇ જશે. હાલ ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ માટે એન્જીનીયરીંગ ફિલ્ડ મટીરીયલનું કામ  ચાલુ છે. એલએન્ડટીએ ફિલ્મ મટીરીયલ માટે ઘણી કંપનીઓ પાસેથી સેમ્પલનું લેબ ટેસ્ટીંગ કરાવેલ મે મહિનાથી મિર્ઝાપુરથી રામમંદિર માટે શિલાઓ આવવાનું શરૂ થશે. પાયા માટ પ એપ્રિલ સુધીમાં રામજન્મભૂમિ પરિસરમાં મટિરીયલનો સ્ટોક કરી લેવાશે. પાયા માટે ૪૦ ફુટ ઉંડે સુધી ખોદકામ કરી ખાડાઓને રોલરથી સમતલ કરી દેવામાં આવ્યા છે.

(11:36 am IST)