Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કાશ્મીરમાં ભાજપ નેતા અનવર ખાનના ઘર ઉપર હુમલો કરનાર ૩ થી ૪ આતંવાદી ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્નાં છે કે શ્રીનગરના નવગામ ખાતે ભાજપના વરીષ્ઠ નેતા અનવરખાનના ઘર ઉપર હુમલો કરી પોલીસમેન રમીઝ રાજાને શહીદ કરનાર લશ્કર-અે-તૈયબાના ૪ માંથી ૩ આતંકવાદીઓ સુરક્ષાદળો અે ૨૪ કલાકમાં ઠાર માર્યા છે.  બુરખો પહેરીને હુમલો કરી આ આતંકીઓ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના કાકાપોરા વિસ્તારના ગઠ લતામાં છુપાઇને બેઠા હતા. વ્હેલી સવારથી શરૂ થયેલ ઓપરેશનમાં અેક પછી અેક ૩ આતંકવાદીને ઠાર કરાયા હતા.

 ઓપરેશનને અવરોધવામાં માટે કેટલા  લોકોઅે પથ્થરમારો કર્યો હતો. અેક છોકરી સહિત બે નાગરીક ઘાયલ થયા હતા. અેસઓજી - લશ્કર અને સીઆરપીઅેફના સંયુકત દળો આ ઓપરેશનમાં જાડાયા હતા અને ઘેરાબંધી કરી દીધેલ.  રવિવારે બુરખા પહેરી મહિલાના વેશમાં આ ચાર આતંકીઓઅે ભાજપ નેતા અનવર ખાનના ઘરના દરવાજા ખોલાવી ગોળીઓ વરસાવી અને ભાગી છુટેલ. 

(1:21 pm IST)