Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભારતે એક જ દિવસમાં ૩૬,૭૧,૨૪૨ લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો

નવી દિલ્હીઃ. કોરોનાને પગલે કાલે એક જ દિવસમાં ૩૬,૭૧,૨૪૨ લોકોને રસી લગાવવામાં આવી. જે એક રેકોર્ડ છે. ૧ એપ્રિલ રાત્રે ૮ વાગ્યા સુધી દેશભરમાં ૬,૮૭,૮૯,૧૩૮ લોકોએ રસી લઈ લીધી છે, ત્યારે જણાવી દઈએ કે ભારતમાં એક દિવસમાં કોરોનાના ૮૧,૪૬૬ નવા કેસ સામે આવ્યા છે. જેથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૦૩,૧૩૧ થઈ ગઈ છે. જ્યારે ૪૬૯ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૬૩,૩૯૬ થયો છે ત્યારે ૬,૧૪,૬૯૬ લોકોની સારવાર ચાલી રહી છે, તો ૧,૧૫,૨૫,૦૩૯ લોકો સાજા થઈ ચૂકયા છે.

(3:26 pm IST)