Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પુરૂષ ૧૫ વર્ષથી ૩ ગર્લફ્રેન્‍ડ સાથે લિવ-ઈનમાં હતોઃ હવે ત્રણેય સાથે ૭ ફેરા કર્યા

લગ્નના આમંત્રણ કાર્ડમાં વરરાજાના નામની સાથે તેની ત્રણ ગર્લફ્રેન્‍ડના નામ પણ લખવામાં આવ્‍યા હતા

અલીરાજપુર, તા.૨: મધ્‍યપ્રદેશના આદિવાસી બહુલ અલીરાજપુર જિલ્લામાં, એક વરરાજાએ તેની ૩ ગર્લફ્રેન્‍ડ સાથે આદિવાસી રિવાજો અનુસાર સાત ફેરા લીધા છે. તેણે તે ત્રણ પ્રેમિકાઓને જન્‍મેલા ૬ બાળકોની હાજરીમાં આ લગ્ન કર્યા. આવું કરનાર વરનું નામ સમર્થ મૌર્ય છે. તેઓ નાનપુર વિસ્‍તારના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્‍યા છે.

 વર સમર્થ મૌર્ય અને તેમના બાળકો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. લગ્ન સમારોહમાં તેણે જોરદાર ડાન્‍સ પણ કર્યો હતો. આ દરમિયાન સ્‍થાનિક લોકોએ પણ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લગ્નના આમંત્રણ કાર્ડમાં વરરાજાના નામની સાથે તેની ત્રણ ગર્લફ્રેન્‍ડના નામ પણ લખવામાં આવ્‍યા હતા. વરરાજાના કહેવા પ્રમાણે, ૧૫ વર્ષ પહેલા તે ગરીબ હતો, તેથી તે લગ્ન કરી શક્‍યો ન હતો, તેથી તે હવે કરી રહ્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ૧૫ વર્ષથી સમર્થ મૌર્યને ત્રણ યુવતીઓ સાથે પ્રેમ હતો. તે ત્રણેયને વારાફરતી લઈને ઘરે લઈ આવ્‍યો અને ત્રણેયને પત્‍નીની જેમ રાખ્‍યો.

 આદિવાસી ભીલાલા સમુદાયને લિવ-ઇનમાં રહેવાની અને બાળકો પેદા કરવાની સ્‍વતંત્રતા છે, પરંતુ જયાં સુધી લગ્ન કાયદા દ્વારા ન થાય ત્‍યાં સુધી. ત્‍યાં સુધી આવા લોકોને સમાજના શુભ કાર્યોમાં ભાગ લેવાની છૂટ નથી. તેથી, ૧૫ વર્ષ અને ૬ બાળકો પછી, સમર્થ મૌર્યએ તેની ત્રણેય ગર્લફ્રેન્‍ડ સાથે લગ્ન કર્યા.

 સમાજના લોકો કહે છે કે હવે વર અને તેની ત્રણ દુલ્‍હનોને માંગલિક સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

 નોંધનીય છે કે ભારતીય બંધારણની કલમ ૩૪૨ આદિવાસી રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓનું રક્ષણ કરે છે, તેથી આ અનુચ્‍છેદ અનુસાર, સમર્થ મૌર્યના ત્રણ દુલ્‍હન સાથેના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવશે નહીં.

(10:42 am IST)