Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દેશમાં ઑગષ્ટ મહિનાથી ત્રીજી લહેર શરૂ થશે. રોજના 1 લાખ કેસ આવી શકે: રિપોર્ટમાં દાવો

ખરાબ સ્થિતિમાં આ સંખ્યા દોઢ લાખ પ્રતિદિવસ સુધી પહોંચી શકે

નવી દિલ્હી : દેશમાં જ્યારથી કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારથી ત્રીજી લહેરને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આ મહિનેથી શરૂ થઈ શકે છે. એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ઑગષ્ટ મહિનાથી ત્રીજી લહેર શરૂ થશે. કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન રોજના 1 લાખ કેસ સામે આવી શકે છે. બહુ જ ખરાબ સ્થિતિમાં આ સંખ્યા દોઢ લાખ પ્રતિદિવસ સુધી પહોંચી શકે છે.

(12:26 pm IST)