Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નરેન્‍દ્રભાઈએ પોતાના ટ્‍વિટર એકાઉન્‍ટ પર DP બદલ્‍યું :તિરંગો લગાવ્‍યો

નવી દિલ્‍હીઃ નરેન્‍દ્રભાઈએ તેમના ટ્‍વિટર પ્રોફાઇલ પિક્‍ચરને બદલીને તિરંગાની તસવીર કરી દીધી છે. બીજી બાજુ BJPના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાએ પણ તેમના ટ્‍વિટર ડીપી બદલ્‍યા છે. મહત્‍વનું છે કે, PM મોદીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ ૨ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ સુધી તેમના DP પર ત્રિરંગો લગાવે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં ૨ થી ૧૫ ઓગસ્‍ટ દરમિયાન તમામ દેશવાસીઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટના પ્રોફાઇલ પિક્‍ચર તરીકે ત્રિરંગો લગાવવાનું આહ્વાન કર્યું હતું. PM નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૯૧મા એપિસોડમાં આ વાત કહી હતી.
PM મોદીએ કહ્યું હતું કે ૨ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા એકાઉન્‍ટના DPમાં ત્રિરંગો લગાવી શકીએ છીએ. ૨ ઓગસ્‍ટ એ આપણા રાષ્‍ટ્રધ્‍વજની રચના કરનાર પિંગાલી વેંકૈયાજીની જન્‍મજયંતિ છે. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મહત્‍વનું છે કે, આઝાદીના અમળત મહોત્‍સવના ભાગરૂપે, ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ સુધી, એક વિશેષ આંદોલન- હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્‍દ્રીય ગળહ પ્રધાન અમિતભાઈ શાહે રવિવારે લોકોને અપીલ કરી હતી કે તેઓ ૨ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ વચ્‍ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર તિરંગાનો પ્રોફાઈલ પિક્‍ચર તરીકે ઉપયોગ કરવા માટે દરેકને પ્રેરિત કરે.

 

(3:37 pm IST)