Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો: રોહિત શર્મા ઈજાગ્રસ્ત: મેચની અધવચ્ચે બેટીંગ છોડવી પડી

ત્રીજી T20 મેચમાં બેટિંગ દરમિયાન રોહિત શર્મા માત્ર દોઢ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો

મુંબઈ : ફિટનેસના મોરચે ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા ઘણા સમયથી કોઈ સારા સમાચાર નથી. ઘણા ખેલાડીઓ અલગ-અલગ પ્રસંગોએ કેટલાક સમયથી ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ ટીમ ઈન્ડિયાનું અસલી ટેન્શન હવે વધી ગયું છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સેન્ટ કિટ્સમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં બેટિંગ દરમિયાન રોહિત શર્મા માત્ર દોઢ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય કેપ્ટન ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યો, ત્યારબાદ તેણે મેદાનની બહાર જવાનું નક્કી કર્યું અને તે જ જગ્યાએ શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો હતો

(12:28 am IST)