Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

" ગણપતિ બાપા મોરિયા " : દ્વારકાધીશ મંદિર પાર્લીન , ન્યુજર્સી મુકામે ભાવભેર " ગણપતિ ઉત્સવ " ઉજવાયો : 22 ઓગસ્ટથી શરૂ થયેલા ઉત્સવ અંતર્ગત દૈનંદિન આરતી ,પૂજા ,તથા ઓનલાઇન બૉલીવુડ કાર્યક્રમનું લાઈવ નિદર્શન કરાવાયું : 30 ઓગસ્ટના રોજ પાણીની ડોલમાં વિસર્જન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે સતત બીજા વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવાઈ ગયો.22 ઓગસ્ટથી શરૂ થયેલા ઉત્સવ અંતર્ગત દૈનંદિન આરતી ,પૂજા ,તથા 29 ઓગસ્ટના રોજ યોજાયેલ ઓનલાઇન બૉલીવુડ કાર્યક્રમનું લાઈવ નિદર્શન કરાવાયું હતું.
30 ઓગસ્ટના રોજ નાના ગણપતિની મૂર્તિનું પાણીની ડોલમાં વિસર્જન કરાયું હતું.
વિશેષ માહિતી મંદિરના ફોન નં 732-254-0061 દ્વારા મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(7:56 pm IST)