Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

એલએસી પર તનાવ વચ્‍ચે વિદેશ મંત્રાલયએ કહ્યુ ચીન એ ઉશ્‍કેરણીજનક કાર્યવાહી કરીઃ સહમતિનુ ઉલ્લઘંન કર્યુ

નવી દિલ્લીઃ ભારત-ચીન વચ્‍ચે તનાવ જારી છે આ વચ્‍ચે વિદેશમંત્રાલયએ કહ્યુ છે કે ચીન એ પહેલાની સહમતિનુ ઉલ્લઘંન કર્યુ એણે ઉશ્‍કેરણીજનક કાર્યાવહી કરી ભારતએ કહ્યુ ચીનએ સ્‍થિતિ બદલવાની કોશિશ કરી સેનાના જવાનોએ ચીનની કોશિશ નાકામ કરી અને સમય પર ઉચિત જવાબ આપ્‍યો.

ચીની સેનાએ ૨૯/૩૦ ઓગષ્‍ટ દરમ્‍યાન રાતના પૂર્વી લદાખમાં ઉશ્‍કેરણીજનક કાર્યવાહી કરી ગલવાન ઘાટીની અથડામણ પછી આ પ્રથમ મોટી ઘટના છે અથડામણમાં  ભારતના ૨૦ સૈનિકો વીરગતિ પામ્‍યા હતા અમેરિકાની ગુપ્તચર એજન્‍સીના રિપોર્ટ પ્રમાણે ગલવાન ઘાટીમાં ચીનના ૩૫ સૈનિકો માર્યા ગયા હતા.

(8:42 am IST)