Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રક્ષામંત્રી રાજનાથ સિંહના પુત્ર - નોઇડાના ધારાસભ્યં પંકજ સિંહને કોરોના પોઝિટિવ

પોતાના સંપર્કમાં આવેલ લોકોને આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અનુરોધ

નોઇડાઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર અને નોઇડાના ભાજપના ધારાસભ્ય પંકજ સિંહ  કોરોના સંક્રમિત થયા છે, તેઓએ જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનતાની સાથે ઉત્તર પ્રદેશ સરકારના અનેક મંત્રી અને ધારાસભ્ય કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. યોગી સરકારના બે મંત્રી ચેતન ચૌહાણ અને કમલ રાની વરૂણના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે.
નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહે ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. તેઓએ જણાવ્યું કે ડૉક્ટર્સની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ છે. તેઓએ લોકોને અનુરોધ કર્યો કે જે પણ લોકો હાલમાં તેમના સંપર્કમાં આવ્યા છે, મહેરબારી કરી પોતાને આઇસોલેટ કરી તપાસ કરાવડાવે.

(9:56 am IST)