Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પૂ. હરીચરણદાસજી મહારાજને હિમોગ્લોબીન ઘટી જતા ઓકિસજન ઉપર રખાયા

પૂ.શ્રીને તેમના રૂમમાં જ સારવાર અપાઇ છે સ્થિતિ સ્ટેબલ

પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણદાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ)નું હીમોગ્લોબીન લેવલ ખુબ જ ઓછુ થઇ જતા તેમને ઓકિસજન ઉપર રાખવામાં આવ્યાનું જાણવા મળે છે. રાજકોટથી ૪૦ કિ.મી. દુર ગોંડલ ખાતેની સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલના ડોકટરો પૂ.શ્રીને તેમના રૂમમાં તમામ સારવાર આપી રહયા છે. તેમની સ્થીતી સ્ટેબલ છે. અને ડોકટરોએ સંપૂર્ણ આરામની કરવાની સલાહ આપી છે.  મહારાજશ્રીના હજારો-લાખો અનુયાયીઓને ગોંડલ ખાતે ધસારો નહિ કરવા અને સંપૂર્ણ આરામ કરવા દેવા વિનંતી કરવામાં આવી છે. તેમને સારવાર અપાઇ રહી છે.

(2:36 pm IST)