Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે સુશ્રી વિભાવરીબેન નાણાવટી ,શ્રી નિર્ઝરકુમાર દેસાઈ ,તથા શ્રી નિખિલ કરિયલની નિમણુંક : કોલેજીયમની ભલામણને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે જારી કરેલી સૂચના

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને ધ્યાને લઇ  કેન્દ્ર સરકારે 3 એડવોકેટની  ગુજરાત હાઇકોર્ટ જજ તરીકે નિમણુંક કરી છે.ઓગસ્ટ માસમાં થયેલી ભલામણ મુજબ જેમને નિમણુંક આપવામાં આવી છે તેમાં સુશ્રી વિભાવરીબેન દેવાંગ નાણાવટી ,શ્રી નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઈ ,તથા શ્રી નિખિલ શ્રીધરન કરિયલનો  સમાવેશ થાય છે.તેઓ હાજર થાય તે દિવસથી  સિનિયોરીટી મુજબ ચાર્જ સંભાળશે તેવું જોઈન્ટ સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ઓફ  ઇન્ડિયા શ્રી રાજીન્દર કશ્યપના સુચનાપત્ર જાણ કરાઈ છે.  તેવું  બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)