Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

બે વર્ષથી ઓછા સમયમાં ૫૦ લાખથી વધુનો ભોગ લીધો વૈશ્વિક મહામારીએ

આ મહામારીને લીધે મહાસત્ત્।ા અમેરિકામાં જ ૭,૪૦,૦૦૦ લાખથી વધુ લોકોના મોત થયા છે : વૈશ્વિક સ્તરે કુલ મૃત્યુઆંક સત્ત્।ાવાર આંકડો છે, જયારે સાચો આંકડો વધુ હોઇ શકે

વોશિંગટન,તા.૨: વૈશ્વિક કોરોના મહામારીને લીધે કુલ મૃત્યુઆંક વધીને ૫૦ લાખને પાર પહોંચી ગયો છે. કોવિડ-૧૯ મહામારીએ બે વર્ષથી પણ ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ લીધો છે જેની ઝપેટમાં દુનિયાના ગરીબ દેશો જ નહીં, પરંતુ આર્થિક રીતે સમૃદ્ઘ અને શકિતશાળી દેશો પણ આવી ચૂકયા છે. આ એવા દેશો છે જયાં મેડિકલ સુવિધાઓ સારામાં સારી છે.

આ દેશોમાં અમેરિકા, યુરોપિયન સંઙના દેશો, બ્રિટન અને બ્રાઝિલ જેવા દેશો સામેલ છે જેમાં વિશ્વની કુલ વસ્તી પૈકી આઠમા ભાગની વસ્તી વસે છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોના મહામારીમાં થયેલી કુલ મૃત્યુમાંથી અડધી મોત આ દેશોમાં થઇ છે. જેમાં મહાસત્ત્।ા અમેરિકામાં સૌથી વધુ ૭,૪૦,૦૦૦નો મૃત્યુઆંક છે.

કુલ મૃત્યુઆંકનું સંકલન જોન હોપકિન્સ યુનિવર્સિટીએ કર્યું છે. પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓસલો મુજબ ૧૯૫૦થી લઇને અત્યાર સુધી થયેલા યુદ્ઘમાં આશરે આટલા લોકોના મોત થયા હશે જેટલા આ મહામારીનો ભોગ બન્યા છે. કોવિડ-૧૯ મહામારી હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક પછી મૃત્યુ થવા પાછળ ત્રીજુ સૌથી મોટુ કારણ છે.

એક અનુમાન એવુ પણ દર્શાવે છે કે, વૈશ્વિક સ્તરે કુલ મૃત્યુઆંક ઓછો ગણવામાં આવ્યો છે કારણ કે મર્યાદિત લોકોની તપાસ કરવામાં આવી છે અને દ્યણા બધા લોકો સારવાર લીધા વગર દ્યરે જ મૃત્યુ પામ્યા છે. આવા લોકોનો સૌથી મોટો આંકડો ભારત જેવા દેશમાં વધુ છે. હાલમાં આ મહામારીનો પ્રકોપ કેટલાક દેશો ઝેલી રહ્યા છે. વર્તમાન સમયમાં રશિયા, યૂક્રેન અને પૂર્વ યુરોપના અન્ય દેશોમાં વાયરસ ફેલાઇ રહ્યો છે, જયાં અફવાઓને લીધે રસીકરણ પ્રભાવિત થયું છે. યૂક્રેનની વાત કરીએ તો અહીં કુલ વસ્તીનું માત્ર ૧૭ ટકા જ રસીકરણ શકય બન્યું છે.

કોલંબિયા યુનિવર્સિટીમાં વૈશ્વિક સ્વાસ્થ કેન્દ્ર આઇસીએપીના ડાયરેકટર ડો. વફા અલ સદ્રનું કહેવુ છે કે, આ મહામારીએ ઊંચી આવકવાળા દેશોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. તેમના મત મુજબ આવા દેશોમાં નાગરિકોનું આયુષ્ય લાબું હોય છે જેથી વૃદ્ઘો અને કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યા પણ વધુ હોય છે. આવા લોકોને કોરોના સંક્રમણ થવાનો ખતરો વધુ હોય છે.

ગરીબ દેશમાં બાળકો, કિશોર અને યુવાનોની સંખ્યા વધુ હોવાને લીધે આવી બીમારીનું સંક્રમણ થવાનો ખતરો ઓછો રહેલો છે.

(10:47 am IST)