Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સિધ્ધુએ કેપ્ટન અમરિંદર સીંહ પર તાકયુ નિશાન

ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંઘ સિધ્ધુએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસીંહ પર ફરી નિશાન તાકતા કહ્યું કે એક સીએમ હતા જે હવે રાજામાંથી રંક બની ગયા છે. સિધ્ધુએ કહ્યુ, 'આ કોર્ટમાં આનો નિર્ણય લેવાશે. એવું ના વિચારતા કે ગુરૂ ન્યાય નહીં કરે. અસલી કાર્યકર્તાઓ માટીમાં છૂપાયેલ ઘરેણાં જેવા છે તેમને પંજાબના તાજમાં રાખો.'સિધ્ધુએ કહ્યુ, 'ગુરૂના પ્રતાપના કારણે જ એક મુખ્યમંત્રી હતા જે આજે રાજામાંથી રંક થઇ ગયા છે.' જો કે તેમણે અમરિંદર સીંહનું નામ નહોતું લીધું. ઉલ્લેખનિય છે કે સિધ્ધુ અને અમરિંદર વચ્ચે અવારનવાર તણખાઓ ઝરે છે. સિધ્ધુ તેમના પર અવારનવાર હુમલાઓ કરતા હતા. અંતે કેપ્ટને મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપીને પોતાનો પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી.

(3:12 pm IST)