Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રિટેન નહીં થનારા સ્ટાર્સને કોઈક ટીમનું નેતૃત્વ મળશે

આઈપીએલની ટીમોએ રિટેન ખેલાડીના નામ જાહેર કર્યા : હાર્દિક પંડ્યાને નવી ટીમ અમદાવાનું જ્યારે શ્રેયસ ઐયરને પણ કોઈ ટીમનું સુકાની પદ મળવાની શક્યતા

મુંબઈ, તા.૧ : વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોનીને મંગળવારે તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે યથાવત રાખ્યા છે. આઈપીએલના મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈએ મંગળવારે રિટેન્શન લિસ્ટ જારી કર્યું. જેમાં ડેવિડ વોર્નર, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રાશિદ ખાન, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક તથા ક્રુણાલ પંડ્યા જેવા મોટા નામો છે, જેમને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા યથાવત રાખવામાં આવ્યા નથી. આ ખેલાડી અન્ય ખેલાડીઓ સાથે અબ પૂલમાં હશે, જેમાં બે નવી ટીમ અમદાવાદ અને લખનૌની પાસે ત્રણ-ત્રણ (૨ ભારતીય, ૧ વિદેશી) ખેલાડી હશે. બીજી તરફ પંડ્યા બંધુ અમદાવાદ સાથે જોડાઈ શકે છે. તે ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે પણ જોવા મળી શકે છે. એવા મોટા ખેલાડી જેમને રિટેન કરવામાં આવ્યા નથી, પરંતુ ઓક્શનમાં મોટી બોલી લગાવવામાં આવે તેવી સંભાવના છે.

ભારતીય ટી૨૦ ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલ આઆઈપીએલમાં સારું પ્રદર્શન કરતો રહ્યો છે. રાહુલ પંજાબ કિંગ્સની સાથે કેપ્ટન હતો, પરંતુ તેને ફ્રેન્ચાઈઝી છોડવાનું મન બનાવી લીધું હતું. શાનદાર ફોર્મમાં રહેલો રાહુલ કેપ્ટન રહેવાની સાથે વિકેટકીપિંગ પણ કરી શકે છે. ઓપનિંગમાં તો કમાલ કરી છે. એવામાં બે નવી ફ્રેન્ચાઈઝી તેમના પર નજર રાખશે.

રિષભ પંત પહેલા શ્રેયસ ઐયર દિલ્હીનો કેપ્ટન હતો. ખોટા સમયે ઈન્જરીના કારણે તેના કરિયરમાં નવો વળાંક આવ્યો હતો. તેના હાથમાંથી કેપ્ટનશિપ તો ગઈ પણ તે ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર થઈ ગયો હતો, પરંતુ ભવિષ્યમાં તેના પર નવી ફ્રેન્ચાઈઝી આંખ બંધ કરીને પસંદગીનો કળશ ઢોળી શકે છે. તે ટીમમાં કેપ્ટન તરીકે પણ જોવા મળી  શકે છે. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ખેલાડી પાછલી સીઝનમાં બીજા નંબરનો ટોપ સ્કોરર ખેલાડી બન્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે, જોકે, આ વખતે તેને ચેન્નાઈ દ્વારા રિટેન કરવામાં આવ્યો નથી. બની શકે કે હરાજી સમયે સીએસકે ડુપ્લેસિસને ફરી પોતાની ટીમમાં સમાવી લે. જો આમ ના થયું તો અન્ય ટીમ પણ તેના પર દાવ લગાવી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન કેન વિલિયમ્સન, અબ્દુલ સમદ, ઉરાન મલિક ટીમમાં રમતા જોવા મળશે, જ્યારે રાશિદ ખાન મેગા ઓક્શનમાં જોવા મળશે. બની શકે કે આ દિગ્ગજને નવી ફ્રેન્ચાઈઝીમાં સ્થાન મળી શકે.

એવામાં ઝડપી બોલર જે ડેથ ઓવરમાં બેટિંગમાં પણ કમાલ કરીને વિસ્ફોટક સાબિત થાય છે તેવામાં ધોની હરાજીમાં તેને ટીમમાં લાવવા માટે ચોક્કસ પ્રયાસ કરશે. આવામાં અન્ય બે ફ્રેન્ચાઈઝી પણ તેને પોતાની ટીમમાં લેવાની તક ગુમાવવા માગશે નહીં.

ફિટનેસ આ ઓલરાઉન્ડરની મોટી તકલીફ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોથી ઈજાના કારણે તેના પ્રદર્શન પર અસર જોવા મળી રહી છે. બોલિંગ વગર હાર્દિકની અડધી લાગી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને રિટેન નથી કર્યો. જો તે ઓક્શનમાં આવે છે તો દરેક ફ્રેન્ચાઈઝીની નજરમાં રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને ક્રુણાલ પંડ્યા નવી ટીમ અમદાવાદ સાથે જોડાઈ શકે છે.

આઈપીએલ ૨૦૨૧ આ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી માટે કરિયરનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. પહેલા કેપ્ટન તરીકે હકાલપટ્ટી અને પછી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરાયો.

આ અપમાનનો બદલો ડેવિડ વોર્નરને ્૨૦ વર્લ્ડકપમાં લીધો. આ ખેલાડીએ રનનો ખડકલો કરી દીધો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ચર્ચા છે કે લખનૌ કે અમદાવાદ બન્નેમાંથી એક ટીમ આ ખેલાડીને પોતાની ટીમમાં લઈને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી શકે છે.

ભારતીય ટીમમાંથી બહાર થયેલા શિખર ધવનનું બેટ જ્યારે ચાલે છે ત્યારે દુનિયાભરના બોલર્સ ધ્રૂજવા લાગે છે. દિલ્હી કેપિટલના થિંક ટેકે રિષભ પંતને રિટેન કરવાનો વિચાર કર્યો છે. તે ટીમનો કેપ્ટન રહેશે. સાથે જ યુવા ઓપનર પૃથ્વી શો અને સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ રિટેન કર્યો છે. એનરિક નોર્ત્જે પણ લીસ્ટમાં છે. એવામાં ધવન કોઈ પણ ટીમમાં ધમાલ મચાવતો જોવા મળી શકે છે. એવી પણ આશા છે કે દિલ્હી હરાજી દરમિયાન તેને પાછો લાવી શકે છે.

કુલદીપ યાદવ, બેન સ્ટોક્સ, જોની બ્રેસ્ટો, સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, ક્રિસ ગેલ, એરોન ફિંચ, એવિન લુઈસ, ડ્વેન બ્રાવો અને ક્વિંટન ડી કોક જેવા ખેલાડીઓ પણ દિગ્ગજ છે. જેઓ મેગા ઓક્શનમાં આકર્ષનું કેન્દ્ર બનશે

(12:00 am IST)