ઉના : ઉના પંથકમાં ગત તા. ૧-૧ર-ર૧ ના ભારે પવન ત્થા કમોસમી વરસાદ વરસશે મંગળવાર રાતથી શરૂ થયો હતો. બુધવારે રાત્રીના ૧૮ કલાકથી ૪૦ થી પ૦ કિ.મી.ની ઝડપે પવન ફુકતા તેમજ દરિયામાં કરંટ જોવા મળતા ૪ થી પ મીટર ઉંચા મોજા ઉછળતા હતા અને નવાબંદર દરીયા કિનારે લાંગરેલ બોટો એક બીજા સાથે ભટકાતા તથા માછીમારી કરવા ગયેલ ૧૦ થી ૧ર બોટનો સંપર્ક તૂટી જતા લાપતા બની હતી. ૧૦ થી ૧ર બોટ તુટી જતા દરીયામાં ગરકાવ થઇ ગઇ હતી અને ૧ર માછીમારો લાપતા બન્યાનું વહીવટે તંત્રએ જણાવેલ છે. અને ૪ માછીમારોને બોટ અને નેવી ત્થા કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર થી રેસ્કયુ કરી બચાવી કાંઠે આવેલ હતા જે ખલાસીના નામ:-
(૧) રમેશભાઇ બચુભાઇ રાઠોડ (ઉ.વ.ર૭) રહે. માણેકપુર
(ર) અરજણભાઇ માધાભાઇ ગુજરીયા (ઉ.વ.ર૬) રહે. માણેકપુર
(૩) ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા (ઉ.વ.રપ) રહે. નવાબંદર
(૪) ગોવિંદભાઇ સોમાતભાઇ મકવાણા રહે. રોહીશા તા. જાફરાબાદ વાળાને ઉના સરકારી દવાખાને સારવાર માટે ખસેડેલ છે.
જયારે અન્ય લાપતા થયેલ માછીમારોના નામ : -
(૧) સાગર જીતુભાઇ રાઠોડ, રહે. માણેકપુર
(ર) મોફત કાળુ સોલંકી, રહે. નવાબંદર
(૩) ભીમા ભીખાભાઇ ચૌહાણ, રહે. નવાબંદર
(૪) નરશીભાઇ જીવાભાઇ ચૌહાણ, રહે. નવાબંદર
(પ) જગદીશ દેવચંદભાઇ મકવાણા, રહે. નવાબંદર
(૬) કલ્પેશભાઇ રાણાભાઇ સોલંકી, રહે. નવાબંદર
(૭) રામુભાઇ દેવાભાઇ બાંમણીયા, રહે. નવાબંદર
જયારે આઠમો એક ખલાસીનો મૃતદેહ દરીયામાંથી મળી આવેલ છે.
જયારે તંત્ર અને માછીમારોએ શોધખોળ કરતા આજે બપોર પછી વધુ એક માછીમાર શોહીલ રહેમાનભાઇ શેખ (ઉ.વ.રર) રહે. નવાબંદરવાળાનો મૃતદેહ દરીયામાંથી મળી આવતા ઉના સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયેલ છે. અને બચાવી લીધેલ તમામ ૪ લાખસીની તબીયત ભય મુકત હોવાનું સિવિલ હોસ્પિટલના ડોકટર જાદવ સાહેબે જણાવેલ છે.
આજે સવારે નવાબંદરમાં વાવાઝોડાથી ખાના ખરાબી થતા ઉનાનાં પ્રાંત અધિકારી રાવલ, મામલતદાર આર.આર. ખાપરા ત્થા તાલુકા વિકાસ અધિકારી જાડેજા, નવાબંદર મરીન પોલીસ સ્થળ ઉપર પહોંચી ખાના ખરાબીનો અહેવાલ જાત માહિતી મેળવી હતી અને જીલ્લા પંચાયતના સદસ્ય હરીભાઇ બી. સોલંકી, ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને પૂર્વનગર પાલીકા પ્રમુખ કાળુભાઇ રાઠોડ, નવાબંદર ના સરપંચ સોમવાર માંડણભાઇ પહોંચી ગયેલ અને અને ફીસરીઝ વિભાગની બેદરકારી ત્ચ્થા ફિઝરીઝ વિભાગ દ્વારા કોઇ સુચના કે સાવચેતીની જાણ ન કરી હોય ૩૦ તારીખ સુધી બોટ વાળાને ટોકન આપેલ હતા તેથી વધુ ખાનખરાબી થઇ છે. નવાબંદરમાં ફિસરીઝ વિભાગનાં કોઇ અધિકારી પણ નથી કચેરીને તાળા છે.
તેમજ વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૦બોટ સંપૂર્ણ નુકશાની થઇ છે. ૪૦ થી પ૦ બોટને નાની મોટી નુકશાની થઇ છે. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.
ગુમ થઇ ગયેલી ડુબી ગયેલ બોટના નામ માલીકના નામ
બોટનું નામ માલીકનું નામ
(૧) ગૌવરીનંદન-અમૃતભાઇ બાબુભાઇ બાંભણીયા, રહે.નવાબંદર
(ર) ધનવંતરી - પ્રવિણભાઇ મસરીભાઇ સોલંકી, રહે.નવાબંદર
(૩) શીવ પ્રીયા - રવિન્દ્રભાઇ હરજીવનભાઇ ચૌહાણ, રહે.નવાબંદર
(૪) હરીપ્રસાદ - ભીખાભાઇ દેવસીભાઇ મજેઠીયા, રહે.નવાબંદર
(પ) અલફેઝાન- રફીકભાઇ મામદભાઇ થૈયમ, , રહે.નવાબંદર
(૬) કૈલાસ સાગર - કેસુરભાઇ ભીખાભાઇ ચારણીયા, રહે.નવાબંદર
(૭) વરૂ પ્રસાદ - હિતેષભાઇ જીવરાજભાઇ સોલંકી, રહે.નવાબંદર
(૮) અલકબીર- હનીફભાઇ મામદભાઇ તુરક, રહે.નવાબંદર
(૯) સૂર્યવંશી - ધીરૂભાઇ લાખાભાઇ મકવાણા, રહે.નવાબંદર
(૧૦) ધનંજય- જીતેન્દ્ર રણછોડ પટેલીયા, રહે.નવાબંદર
આમ -૧૦ બોટ સંપૂર્ણ ડુબી ગઇ છે. હાલ કોસ્ટગાર્ડ, પીપાવાવની બોટ દ્વારા રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. પરંતુ દરીયાના મોજા ઉછળતા હોય કામગીરીમાં અવરોધ આવે છે.
ઉનાનાં માછીમારો બોટના માલીકો તથા રાજકીય આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીતમાં રજુઆત કરી છે. બોટની તમામ નુકશાનીની પુરેપુરી તાત્કાલીક સહાય ચુકવણી કરાય નહીંતર નવાબંદરનો માછીમારી ઉદ્યોગ પડી ભાંગશે ત્યાં નવી જેટી તુરંત બનાવે જેથી બોટોની સલામતી રહે તેવી માંગણી કરી છે. પ્રથમ તો ઉકેલ વાવાઝોડાનો માર પછી માછીમારો વાવાઝોડાનો મારથી માછીમારો આર્થિક રીતે તૂટી ગયા છે.