Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

નમાઝ પઢો અને પછી હિંદુ છોકરીઓને ઉપાડો : આતંક ફેલાવો

બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન : સનાતન ધર્મ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઇએ : સવારે ભગવાનનું નામ લેવું જોઇએ અને : લોકોએ યોગ કરવા જોઇએ : હિંદુ ધર્મ આપણને જીવનને કેવી રીતે સારી રીતે જીવવું તે શીખવે છે

બાડમેર તા. : રામદેવે હિન્દુ ધર્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે સનાતન ધર્મ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઈએ. સવારે ભગવાનનું નામ લેવું જોઈએ અને લોકોએ યોગ કરવા જોઈએ. હિંદુ ધર્મ આપણને જીવનને કેવી રીતે સારી રીતે જીવવું તે શીખવે છે.

યોગ ગુરૃઙ્ગબાબા રામદેવેઙ્ગરાજસ્થાનના બાડમેરમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ આતંકવાદી હોય તો પણ તે નમાઝ ચોક્કસ અદા કરશે. આવા લોકો ઇસ્લામનો અર્થ નમાઝ સુધી સમજે છે. પાંચ વખત નમાઝ પઢો અને જે પણ પાપ કરવા માંગો છો તે કરો. હિંદુઓની છોકરીઓને ઉપાડો કે જેહાદના નામે આતંકવાદી બનો, તમારા મનમાં જે આવે તે કરો. પરંતુ, હિન્દુ ધર્મમાં આવું નથી.

ખ્રિસ્તી ધર્મ અંગે બાબા રામદેવે કહ્યું કે ખ્રિસ્તી ધર્મનો સિદ્ઘાંત ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવવાનો છે. ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભા રહો, બધા પાપોનો નાશ થશે. ખ્રિસ્તીઓ ક્રોસની નિશાની પહેરે છે. આવા કેટલાક કોસ્ચ્યુમ બનાવવામાં આવ્યા છે. હું કોઈની ટીકા નથી કરી રહ્યો. પરંતુ લોકો બધી બાબતોના ચક્કરમાં પડ્યા છે. કેટલાક કહે છે કે તેઓ સમગ્ર વિશ્વને ઇસ્લામમાં ફેરવી દેશે. કેટલાક કહે છે કે આખું વિશ્વ ખ્રિસ્તી ધર્મમાં ફેરવાશે. પરંતુ હું કહું છું કે આમ કરવાથી શું થશે.

રામદેવે કહ્યું કે લોકોના કહેવા અનુસાર સ્વર્ગ એટલે પાયજામા પહેરવો. તમારી મૂછો કાપો. લાંબી દાઢી ઉગાડો. ટોપી પહેરીને ચાલો. આવું ઇસ્લામ કહે છે કે કુરાન કહે છે, હું નથી કહી રહ્યો. પરંતુ લોકો આવુ કરી રહ્યા છે. તેઓ એવું એટલા માટે કરી રહ્યા છે તેમને જન્નત મળે. જન્નત હુર મળશે. પણ આવું સ્વર્ગ તો નરક કરતાં પણ ખરાબ છે.

રામદેવે હિંદુ ધર્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે સનાતન ધર્મ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઈએ. સવારે ભગવાનનું નામ લેવું જોઈએ અને લોકોએ યોગ કરવા જોઈએ. હિંદુ ધર્મ આપણને જીવનને કેવી રીતે સારી રીતે જીવવું તે શીખવે છે. આપણે સદાચારી વ્યવહાર રાખવો જોઈએ. આપણું વર્તન પણ એવું હોવું જોઈએ. લોકોએ હિંસા અને અસત્યથી દૂર રહેવું જોઈએ. હિંદુ ધર્મ શીખવે છે કે, વ્યકિતએ લડાઈ, ઝઘડા, પાપ અને ગુનાથી દૂર રહેવું જોઈએ. બાબા રામદેવ બાડમેરના એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી.

(11:01 am IST)