Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમરનાથ યાત્રામાં યાત્રીકો માટે સડક માર્ગની સુવિધા માટે તૈયારી

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ : અમરનાથ યાત્રા સાથે જોડાયેલા અધિકારીઓ ઉપર વિશ્વાસ કરીએ તો અને આ યોજના ફળીભુત થાય તો ટુંક સમયમાં જ અમરનાથ યાત્રીકો માટે પ્રાઇવેટ વાહનો દ્વારા અવર જવર માટે સડક માર્ગ તૈયાર કરવામાં આવશે. જે અમરનાથ ગુફા પહેલા ચંદનવાડી સુધીનો રહેશે. અધિકારીઓનું કહેવું છે કે અમરનાથ યાત્રા માર્ગ ઉપર સૌથી પહેલા બેટરી સંચાલીત કાર ચલાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

અમરનાથ સાઇન બોર્ડના સુત્રોએ જણાવ્‍યું છે કે આ માટે  જુદા જુદા દીશા નિર્દેશ જાહેર કરવામાં આવ્‍યા છે.  ઉપરાજયપાલે પણ બેટરી સંચાલીત કાર માટે સુચનાઓ આપી હતી.  જો કે હવે કઇ તારીખથી આ સુવિધા શરૂ થશે તેના ઉપર સૌની નજર છે.

(4:48 pm IST)