Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કોરોનાકાળમાં ભારતીય રેલવેએ તોડ્યા તમામ રેકોર્ડ : જૂન મહિનામાં અધધ કરોડોની કમાણી

ટ્રાન્સપોર્ટેશન 20.37 ટકા વધુ: 112.65 મિલિયન ટન માલનું પરિવહન કર્યુ

નવી દિલ્હી : કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન 2021માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન મોડમાં જૂન 2021માં ભારતીય રેલવેએ 112.65 મિલિયન ટન માલનું પરિવહન કર્યુ, જે જૂન 2019 (101.31 મિલિયન ટન)ની તુલનામાં 11.19 ટકા વધુ છે.

આ એક સામાન્ય વર્ષ હતુ. આ સમયગાળા માટે એટલે કે જૂન 2020 (93.59 મિલિયન ટન)ની તુલનામાં આ ટ્રાન્સપોર્ટેશન 20.37 ટકા વધુ રહ્યું છે. જૂન 2021 દરમિયાન ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલી મહત્વપૂર્ણ વસ્તુઓમાં 50.03 મિલિયન ટન કોલસો, 14.53 મિલિયન ટન લોખંડ, 5.53 મિલિયન ટન કાચુ લોખંડ અને તૈયાર સ્ટીલ, 5,53 મિલિયન ટન ખાદ્યાન્ન, 4,71 મિલિયન ટન ખાતર, 3.66 મિલિયન ટન ખનિજ તેલ સામેલ છે.

6.59 મિલિયમ ટન સીમેન્ટ (ક્લિંકર સિવાય) અને 4.28 મિલિયન ટન ક્લિંકર સામેલ છે. જૂન 2021ના મહિનામાં, ભારતીય રેલવેએ માલ ટ્રાન્સપોર્ટેશનથી 11,186.81 કરોડ રૂપિયાની આવક મેળવી, જે જૂન 2020ની તુલનામાં 26.7 ટકા વધુ (8,829.68 કરોડ રૂપિયા) અને જૂન 2019ની તુલનામાં 4.48 ટકા વધુ (10,707.53 કરોડ રૂપિયા) છે.

રેલવે માલ ટ્રાન્સપોર્ટેશનને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવેમાં અનેક પ્રકારની રાહત કે છૂટ પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન નેટવર્કમાં માલગાડીઓની ગતિ વધારી દેવામાં આવી છે.

માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિમાં સુધારથી તમામ હિતધારકો માટે ખર્ચની બચત થાય છે. ગત 19 મહિનામાં માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિ બમણી થઇ ગઇ છે. ભારતીય રેલવે દ્વારા કોવિડ-19નો ઉપયોગ ચારેતરફ કાર્યક્ષમતા અને પ્રદર્શનમાં સુધારના અવસર રૂપે રવામાં આવ્યો છે.

(1:08 pm IST)