Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાંચ દિવસ તામિલનાડુના પ્રવાસે

ચેન્નાઈમાં મદ્રાસ વિધાન પરિષદમાં 100માં વર્ષનાં સ્મારક સમારોહમાં ભાગ લેશે: પૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ કરુણાનિધિનાં ચીત્રનું પણ અનાવરણ કરશે: ઉંટી નજીક વેલિંગ્ટન સ્થિત રક્ષા સેવા સ્ટાફ યુનિવર્સીટીની મુલાકાત લેશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 5 દિવસીય યાત્રા પર તમિલનાડુમાં છે. આજે તેઓ ચેન્નાઈમાં મદ્રાસ વિધાન પરિષદમાં 100માં વર્ષનાં સ્મારક સમારોહમાં ભાગ લેશે અને સમારોહને સંબોધિત પણ કરશે. આ સિવાય રાષ્ટ્રપતિ તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ કરુણાનિધિનાં ચીત્રનું પણ અનાવરણ કરશે.

રાષ્ટ્રપતિની યાત્રાને લઈને રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેઓ આવતીકાલે નિલગીરી જિલ્લામાં જવા માટે રવાના થશે. 4 ઓગસ્ટે તેઓ ઉંટી નજીક વેલિંગ્ટન સ્થિત રક્ષા સેવા સ્ટાફ યુનિવર્સીટીની મુલાકાત લેશે અને 77માં સ્ટાફ કોર્સનાં વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરશે. તે બાદ રાષ્ટ્રપતિ 6 ઓગસ્ટે દિલ્હી પરત ફરશે.

(12:14 am IST)