Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેરળમાં કોરોનાના વધતા કહેરથી દેશમાં નવા 42.510 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.546 દર્દીઓ રિકવર થયા : વધુ 561 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.25.789 થયો :એક્ટીવ કેસ 4.04.248 થયા : કુલ કેસની સંખ્યા 3.17.67.965 થઇ

સૌથી વધુ કેરળમાં 23.676 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6005 કેસ, તામિલનાડુમાં 1908 કેસ,કર્ણાટકમાં 1674 કેસ, આંધ્રપ્રદેશમાં 1546 કેસ, આસામમાં 1182 કેશવ, ઓરિસ્સામાં 1129 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 42.510 કેસ નોંધાયા છે. જ્યારે 36.546 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.510 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 561 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.25.789 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.510 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.17.67.965 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.04.248 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.546 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.09.25.348 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 23.676 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6005 કેસ, તામિલનાડુમાં 1908 કેસ,કર્ણાટકમાં 1674 કેસ, આંધ્રપ્રદેશમાં 1546 કેસ, આસામમાં 1182 કેશવ, ઓરિસ્સામાં 1129 કેસ નોંધાયા છે

(1:05 am IST)