Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હવે સિંગાપોર ,બેંગકોક,અને દુબઈમાં મકાનો ખરીદવાનો ક્રેઝ : વિદેશોનું નાગરિકત્વ મેળવવામાં ભારતના શ્રીમંતોની વધી રહેલી રુચિ

મુંબઈ : તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યા મુજબ ભારતના શ્રીમંતોની વિદેશોનું નાગરિકત્વ મેળવવામાં રુચિ વધી રહી છે.તેઓ હવે  સિંગાપોર ,બેંગકોક,અને દુબઈમાં મકાનો ખરીદવા લાગ્યા છે.
         આ ધનિક ભારતીયો પોતાનું બીજું ઘર અથવા તેમાંથી સારું રિટર્ન (વળતર) મળે તે માટે વિદેશમાં ઘર ખરીદી રહ્યા છે. વિદેશમાં ઘર ખરીદવાના બીજા પણ કેટલાંક કારણો છે કે જેમાં રૂપિયાની કિંમતમાં ઘટાડો, સારી લાઈફસ્ટાઈલ, સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી હેલ્થ સિસ્ટમ વગેરે સામેલ છે. ધનિક ભારતીયો માટે બીજું ઘર ખરીદવા માટેનું સૌથી પસંદગીનું સ્થળ લંડન શહેર છે. પણ, હવે વિદેશના અન્ય શહેરો પણ ઘર ખરીદવા માટે લોકપ્રિય થઈ રહ્યા છે.જેમાં સિંગાપોર ,બેંગકોક,અને દુબઈનો સમાવેશ થાય છે.
          યુરોપિયન ગોલ્ડન વિઝાથી તેમના માટે સ્પેન, પોર્ટુગલ અને સાયપ્રસ જેવા દેશોના રસ્તા ખુલી જાય છે.જો ભાડાથી થતી કમાણીની વાત કરીએ તો દેશમાં 1થી 2%નું રિટર્ન (વળતર) મળે છે. જ્યારે મધ્ય પૂર્વ એશિયામાં તે 6% વધારે છે. બ્રિટન, સ્પેન અને પોર્ટુગલ જેવા યુરોપિયન માર્કેટમાં આ રેન્ટલ યીલ્ડ (ઉપજ) લગભગ 5% છે. વિદેશમાં પ્રોપર્ટી ખરીદતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જે પૈકી સૌથી વધુ જરૂરી છે કે જે-તે દેશના નિયમ અને કાયદા જાણવા. આ સિવાય ભારતીય કાયદાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)